નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસ (Corona Virus) થી સંક્રમિત થયેલા લોકોની કુલ સંખ્યા 21 લાખને પાર થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ 64,399 કેસ સામે આવ્યાં છે. દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા 21,53,011 થઈ ગઈ છે જ્યારે ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 14,80,884 થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ દેશભરમાં કોરોનાથી અત્યાર સુધીમાં 43,379 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 861 લોકોના મોત થયા છે. જો કે રિકવરી રેટ વધીને 68.78 ટકા થયો છે. જ્યારે પોઝિટિવિટી રેટ 8.95 ટકા થયો. સંક્રમણના કુલ કેસમાં વિદેશી નાગરિક પણ સામેલ છે. દેશમાં કોરોના વાયરસના હાલ 6,28,747 એક્ટિવ કેસ છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube